સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારીના ઉપક્રમે ‘ગુરુમિલન પક્ષિકી’ હેઠળ ‘સ્થાનિક તરહી મુશાયરા’નું આયોજન તા. ૨૮-૨-૨૦૧૯ ને ગુરુવારે રાત્રે ૯-૦૦ કલાકે કરવામાં આવેલ છે. સૌ ગઝલકાર અને કવિ મિત્રોને ‘સ્થાનિક તરહી મુશાયરા’માં ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે.

‘સ્થાનિક તરહી મુશાયરા’ માટે મતલા
અને અન્ય માહિતી :-

(૧)
હેમ સો ટચનું હશે પણ યોગ્ય એ ઠરશે નહીં
જ્યાં લગી ખુદ પથ્થરોથી પાર ઊતરશે નહીં
– ‘શૂન્ય’ પાલનપુરી (શૂન્યની સૃષ્ટિ – ૨૮૦)
છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
રદીફ : નહીં
કાફિયા : ઠરશે, ઊતરશે.

ગુરુમીલન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો