શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન યોજાયેલ વિચાર-વાચન શિબિરોએ બાળકોને વાંચવાની પ્રેરણા આપવામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો હતો. આથી દર વર્ષે ઉનાળાની રજાઓ શરૂ થાય એ પહેલા નિયમિતપણે ૯/૧૦ દિવસ વિચાર-વાચન શિબિરોનું આયોજન કરવામાં આવે છે.

જેમાં બાળકોને વાંચવાની પ્રેરણા થાય એવી અભિનવ તાલીમ આપવામાં આવે છે. સાથે સાથે વિચાર વ્યાયામ અને જીવનધ્યેય અંગે સમજ આપી વાચન અને જીવન ઘડતર માટે પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે.

વિચાર વાચન શિબિરો અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો